ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સાહિત્ય સંગમના અધ્યક્ષ સ્વ. નટવરભાઈ હેડાઉની મરણોત્તર નવલકથા ‘મેવાડના માર્કંડ’નો વિમોચન કાર્યક્રમ રવિવાર દિનાંક ૩૧ જૂલાઇના રોજ સાંજે પાંચ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર – ૭ ખાતે રાખવામાં આવ્યો છે.
ગાંધીનગર સાહિત્યસભા અને ગુજરાત સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આ પુસ્તકનું વિમોચન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવીણભાઈ જોષી, ગુર્જર પ્રકાશનના રોહિત શાહ, જાણીતા સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈ, ગાંધીનગર મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. અનિલ ચૌહાણ, ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાત હાજર રહી ‘મેવાડના માર્કંડ’ પુસ્તકનું વિમોચન કરશે.
કાર્યક્રમનું સંચાલન નવલકથાકાર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવશે. આ વિમોચન કાર્યક્રમ સ્વ. નટવરભાઈ હેડાઉના પરિવારના સભ્યો મીનાબહેન, કિરણભાઈ, કરિશ્માબહેન, ચિરાગભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય સંગમના મહાસચિવ લલિત કુમાર અગ્રવાલે સૌ સાહિત્ય પ્રેમીઓને હાજર રહેવા આમંત્રણ આપ્યું છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube