ગાંધીનગર : પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક, વિચારક તેમજ જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે આજે બુથ સ્તરે મહાનગર ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, અગ્રણીઓ, કાર્યકર્તાઓએ ભાજપાના કાર્યાલય ખાતે તેમજ બુથમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
‘એક દેશ મેં, દો વિધાન, દો નિશાન ઔર દો પ્રધાન નહીં ચલેગે’ના બુલંદ નારા સાથે દેશની એકતા, અખંડિતતા માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ ‘બલિદાન દિન’ નિમિત્તે સ્વામી વિવેકાનંદ સ્કૂલ, સે.૨૪, ગાંધીનગર ખાતે રાત્રે ૮.૩૦ કલાકે તેમના જીવન વૃતાંત અંગેના માહિતીસભર વ્યાખ્યાનનું આયોજન ભાજપા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપા મંત્રી પંકજભાઈ ચૌધરી વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલ પાંખ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu