ગાંધીનગર : ગાંધીનગરમાં અગામી તારીખ ૧-૭-૨૨ને શુક્રવાર અષાઢી બીજના તહેવારે નવા સેક્ટરોના વસાહતીઓને લાભ મળે તે નિમિત્તે સતત ત્રીજા વર્ષે ન્યુ પ્રેરણા બાળ રથયાત્રા આ વર્ષે પણ ધામધૂમથી નીકળશે. સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ પંડ્યાની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવા સેક્ટરોના રીંગ રોડ ફરતે સેક્ટર નં. ૨, ૩, ૪, ૫ને આવરી લેતી આ રથયાત્રાનો સવારે ૭-૦૦ કલાકે શિવશક્તિ મંદિર સે.૫થી પ્રારંભ થશે તેની સાથે નવા સેક્ટરના પ્રસિદ્ધ મંદિરો અંબાજી મંદિર, મહાકાળી મંદિર, ખોડીયાર મંદિર, ઓમકારેશ્વર મંદિર, એસ.એસ.વી. કેમ્પસ, સે. ૩-ન્યુ. એક્તા ચોક સહિત નવા સેક્ટરોના વસાહતીઓને ભગવાન જગન્નાથજી દર્શનનો લહાવો આપશે આ રથયાત્રામાં ધાર્મિક અને વસાહત મંડળોના ટેબ્લો પણ જોડાશે નવા સેક્ટરોની ધર્મ પ્રેમી જનતાને રથયાત્રાના દર્શનનો લહાવો લેવા તેમજ ટેબ્લો સ્વરૂપે જોડાવા સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ પંડ્યા, વસાહત મહાસંઘના તેમજ રથયાત્રા સમિતિના પ્રમુખ કેસરીસિંહ બિહોલા, મહામંત્રી જયેશભાઈ આગજા ઉપર પ્રમુખ પ્રદિપસિંહ બિહોલા અને હિમાંશુ ભચેચે નવા સેક્ટરોના વસાહતી ભાઇઓ બહેનોને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu