ગાંધીનગર: ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ‘માનવતા માટે યોગ’ની થીમ સાથે ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણીમ પાર્ક (સેન્ટ્ર વિસ્ટા) ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 4000 જેટલા નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત દરેક વોર્ડ કક્ષાએ તેમજ અક્ષરધામ મંદિર ખાતે પણ મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડૉ. પી.ડી. માનસતા, નાયબ મ્યુનિસિપલ કમિશનર કેયૂર જેઠવા સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ આયોજનમાં ભાગ લીધો હતો.
યોગ દિવસ નિમિતે નગરજનોને સંબોધતા મેયર હિતેષભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, “યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.
યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને આ યોગને આજે વિશ્વની ફલક પર કોઈએ પહોંચાડી હોય તો એ આપણા પોતાના નરેન્દ્રભાઈ મોદીએ પહોંચાડી છે. આજે મોદી સાહેબની દિર્ઘ દ્રષ્ટિ અને વૈશ્વિક નેતા તરીકેની છાપને કારણે જ યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિકૃત્ત બન્યો છે અને વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે. આ આપણા માટે ગર્વની વાત છે.”
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu