ગાંધીનગર : ગાંધીનગરના માનસ યોગ સેવા ટ્રસ્ટ અને બાપુ ગુજરાત નોલેજ વિલેજ વચ્ચે “લક્ષ્ય આરોગ્યમ” અભિયાન અંતર્ગત યોગ, આયુર્વેદ, નેચરોપેથી, એક્યુપ્રેશર થેરાપી જેવી સ્વદેશી સ્વાસ્થ્ય વર્ધક પ્રવૃત્તિઓ દ્વારા યુવા વર્ગમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધે તેમજ ખાસ કરીને મહિલાઓ માટે માર્શલ આર્ટની ટ્રેનીંગનું આયોજન કરી મહિલા સ્વરક્ષણ અંગે જાગૃતતા વધારવાના હેતુથી એમઓયુ કરવામાં આવ્યું હતું. કોરોના કાળ જેવી ભયંકર મહામારીમાં યુવાઓના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ લાવવાનું આ સેવાકાર્ય ગાંધીનગરના યોગાચાર્ય કાનજીભાઈ બાવરી અને બાપુ ગુજરાત નોલેજ વિલેજના કેમ્પસ ડાયરેકટર રવિ કુમારના પ્રયત્નોથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માનસ યોગ સેવા ટ્રસ્ટ તરફથી ગાંધીનગર જિલ્લા મહામંત્રી જે.બી. મહેતા તથા યુવા પ્રભારી પ્રકાશભાઈ વણઝારા અને બાપુ ગુજરાત નોલેજ વિલેજમાં મિકેનિકલ શાખાના વડા ડો. નેહલ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube