fbpx

શું તમને ખબર છે? મૃત્યુ બાદ તમારું શું થાય? મૃત્યુ બાદ જીવન છે? શું મૃત્યુ પીડા દાયક છે?

શ્રાદ્ધમાં કાગડાને ખીર પુરીનો કાગવાસ નાંખીને વેતાળ જમવા બેઠો પણ એનાં મગજમાં મૃત્યુના વિચાર ફરતા હતા. એનએસઈ ખબર હતી કે આ વિશે ગરુડ પુરાણમાં વાત લખેલી છે. મૃત્યુ બાદ શું થાય? મૃત્યુ બાદ જીવન છે? શું મૃત્યુ પીડા દાયક છે? પૂન:જન્મ કેવી રીતે થાય ? મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ? આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ! આવા સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો? શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય? વેતાળ વિચારતો હતો એટલામાં ત્યાં રાજા વિક્રમ આવી ગયા.

“આવો રાજા, આજે અમારાં પૂર્વજોને ભાવતાં ભોજન બનાવ્યા છે તમે પણ જમો અને જમતાં જમતાં ગરુડ પુરાણ વિશે વાત કરો…”
“ડિયર વેતાળ, તારાં મનમાં ઉદ્ભવેલા બધા પ્રશ્નોનો ઉત્તર આપણા પ્રાચીન ‘ગરુડ – પૂરાણ’ માંથી મળશે. મૃત્યું એક રસદાયી ‘ક્રિયા’ અથવા ‘ઘટનાક્રમ’ છે. અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. આ લક્ષણો એમ સૂચવે છે કે પૃથ્વી – ચક્ર જે પગના તળીયે આવેલા છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે. જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે. જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ. મૃત્યુનો સમય થતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અનેઆત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે. આ પ્રક્રિયાને જ ‘મૃત્યુ’ કહેવાય છે.

આત્મા શરીરથી મુક્ત થઈ, ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી અને, ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે. મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષનો અનુભવ કરી શકે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે. તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે. તેને એમજ લાગે છે કે તે જીવંત છે. આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે. તે મૃત શરીરની આસપાસ, જેટલી વ્યક્તિ રહેલી હશે તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે એ બધું જ તે આત્માને સંભળાય છે.

એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે પરંતુ કોઈને સંભળાતુ નથી. ધીરે ધીરે આત્માને સમજાય છે કે તેનું મૃત્યુ થયું છે. તે આત્મા શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને, તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે. જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે. એટલે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો, તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને, દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા ‘સાક્ષી’ બને છે.!

પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે. જો, એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂમમાં રહેશે! જો, એમનો જીવ રુપિયામાં હશે તો તેના કબાટ નજીક રહેશે ! સાત દિવસ પછી તે આત્માને તેના બીજા લોકમાં જવાનું છે. મૃતકના સગાં સંબંધીઓએ તેની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માંની શાસ્ત્રોક્ત વિધિ, પીંડદાન તથા ક્ષમા-પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે. તે આત્મા, કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય. તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે…

જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે. આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે, કેવી રીતે ગળે મળીએ છીએ તેવું જ અહીં મિલન થાય છે. ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે. તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે. અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી. જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણમાં પોતાના પૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય… એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે. જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી… તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે. પોતે કરેલા ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે… અને, તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.
ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો-કરાર (બ્લુ-પ્રીન્ટ) બનાવે છે. જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.

હકીકતમાં જીવ પોતેજ ઝીણામાં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા – નરસા અનુભવો, વગેરે આ જીવાત્મા પહેલાંથી જ નક્કી કરે છે. દાખલા તરીકે કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશીને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી. આ ઘટના ના પશ્ચાતાપ રુપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે. તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.!

જીવ અંડકોષ ના મિલન દરમ્યાન ૪થા- ૫માં મહીને અથવા, પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે. દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે..! જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વમાં જ ન હતો. દરેક જીવ દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મૃત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે. અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાનને આપે છે. આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે. આપણા જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ. આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે જે રોલ આપણે લખ્યો છે. તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ? મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.

ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુ:ખી થઈને નીકળ્યો હોય, અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીક ની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય કે જીવાત્માની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે…”
“હે રાજા વિક્રમ, આવી પરિસ્થિતિમાં જીવ અહીં જ રહી જાય છે. પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્માએ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને, તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી. અને, પૃથ્વી ઉપર ‘પ્રેત-યોની’ માં અધવચ્ચે રહી જાય છે. તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે, નથી ભોગવવા માટે શરીર મળી શકતું. આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ, ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદ્ગગત્ આત્માની ‘ગતિ’ થાય. અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતીરિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે અને, પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી. આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે..!”

લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.