ગાંધીનગર : ભારત સરકાર નાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તક નાં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એંન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાયૅક્રમ અંતગૅત દર વર્ષૅ “રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાનું આયોજન સમ્રગ દેશમાં કરવામાં આવે છે. આ સ્પર્ધનો મુખ્ય હેતુ વિધ્યાર્થીઓમાં નાનપણથીજ વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચી કેળવાય અને તેમાનામાં વૈજ્ઞાનિક સંશોધન વ્રુતિ વિકસે તેવા નવીનત્તમ વિચારોનો ઉદ્દભવ થાય તે છે. ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
ગાંધીનગર જીલ્લામાં આ સ્પર્ધાનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર જીલ્લાની શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાના માર્ગદર્શન માટે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ તા ૩૧/૦૫/૨૦૨૧ ના રોજ યોજાઈ. આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ડૉ.ભરતભાઈ પાઠક, સ્ટેટ કો-ઓડીનેટર, રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ,ગુજરાત, મનસુખભાઈ નારિયા, નિવૃત આચાર્ય, આઈ.પી.હાઇસ્કુલ,સુરત ગીતેશભાઈ પટેલ, ડીસ્ટ્રીક એકેડમિક કો-ઓડીનેટર, રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ,નરેશ ઠાકર, ડીસ્ટ્રીક ઈવોલ્યુટર, રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ,અને ડૉ.અનીલભાઈ પટેલ, ગાંધીનગર ડીસ્ટ્રીક એકેડમિક કો-ઓડીનેટર, રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમની શરૂઆતમાં ડૉ.અનીલભાઈએ શિક્ષકોને રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધા વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમજ આ સ્પર્ધામાં કેવા પ્રકારના પ્રોજેક્ટો રજુ કરી શકાય તેની ચર્ચા કરી હતી. મુખ્ય વક્તા ડૉ.ભરતભાઈ પાઠકે આ વર્ષના મુખ્ય વિષય “નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન” તેમજ તેના પાંચ પેટા વિષયો ની વિસ્તૃત સમજુતી આપી હતી. મુખ્ય વિષય તેમજ પેટા વિષય આધારિત પ્રોજેક્ટો વિષે શિક્ષકોને માહિતી આપી હતી. તેમજ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટોના મૂલ્યાંકનની પદ્ધતિ સમજાવી હતી. મનસુખભાઈ નારિયાએ શિક્ષકોને વિષય પસંગીથી માંડીને સંસોધાનના હેતુઓ, કાર્યપદ્ધતિ, તારણો, અને પ્રોજેક્ટ કઈ રીતે બનાવી શકાય તેની વિગતવાર માહિતી આપી હતી. ગીતેશભાઈ પટેલે તેમના રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સાથેના ૩૦ વર્ષના સુખદ અનુભવોની ચર્ચા કરી હતી.કન્યાવિનય મંદિર સંસ્કાર તીર્થ, આજોલ ના આચાર્ય અંજના બેન પટેલે પણ તેમના અનુભવોની વાત કરી હતી તેમજ ગ્રામ્ય કક્ષાની દીકરીઓ પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી સફળતા પૂર્વક પોતાનો પ્રોજેક્ટ રજુ કરી શકે છે તેની વાત કરી હતી. સ્વતિક હાઇસ્કુલ મોટેરા ના વિજ્ઞાન શિક્ષક વિષ્ણુભાઈ પટેલે શિક્ષકોને રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદમાં ભાગ લેવા અપીલ કરી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં પ્રોજેક્ટમાં કઈ રીતે માર્ગદર્શન આપી શકાય તેની વાત કરી હતી.
ગાંધીનગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતીએ તાલીમ માટેનો પરિપત્ર કરી સહયોગ પૂરો પાડ્યો હતો. ચારે તાલુકાના ટી.પી.ઓ ધ્વારા પણ પરિપત્ર કરી શિક્ષકોને તાલીમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માણસા બી.આર.સી. કો-ઓડીનેટર,શ્રી સતીશભાઈ પટેલ, કલોલ બી.આર.સી. કો-ઓડીનેટર, રાજેશભાઈ મોદી, ગાંધીનગર બી.આર.સી. કો-ઓડીનેટર, પંકજભાઈ પટેલ,તેમજ દહેગામ બી.આર.સી. કો-ઓડીનેટર, મહેશભાઈએ તાલીમના આયોજનમાં સહયોગ પૂરો પડ્યો હતો. આ કાર્યક્રમમાં ૩૫૪ જેટલા શિક્ષકો જોડાયા હતા.