fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classifieds
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Entertainment

ગાંધીનગરનાં સંસ્કૃતિકુંજ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વસંતોત્સવ – ૨૦૨૧નું ઉદ્ઘાટન કરાયું

Team Mytro by Team Mytro
March 8, 2021
in Entertainment
0
ગાંધીનગરનાં સંસ્કૃતિકુંજ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વસંતોત્સવ – ૨૦૨૧નું ઉદ્ઘાટન કરાયું
192
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર : આપણે આપત્તિના સમયે ડરી જવાની જરૂર નથી. પરંતુ આપત્તિને અવસરમાં પલટાવી નાખવાની છે, તેવું શનિવારે સાંજે ગાંધીનગરના આંગણે આયોજિત ૨૫મા વસંતોત્સવને દીપ પ્રાગટય કરીને પ્રારંભ કરાવતા રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

 

રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ મર્યાદિત લોકો વચ્ચે પરંપરા મુજબ વસંતોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડનગરનો તાના રીરી મહોત્સવ અને મોઢેરાનો ઉત્તરાર્ધ મહોત્સવ તથા વસંતોત્સવ તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયથી લોકપ્રિય બન્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત અને ભારતની સંસ્કૃતિની આલ બેલ પેાકારતા વસંતોત્સવનો પ્રારંભ સંગીત, નૃત્ય અને વાદિય ની પસ્તુતિ થકી ઉજવણી કરવામાં આવે છે. વસંતોત્સવ એટલે માંગલિક કાર્ય, ઉત્સવ, શીતલ હવા, ખીલતા પુષ્પો, કેરીનું આગમન, ફાગણના મોજીલા ગીતો છે. વસંતોત્સવની ઓળખ આનંદ – ઉત્સવ બની ગયા છે. વસંતના વધામણા કરવા વિધા અને સંગીતની દેવી મા સરસ્વતીની ઉપાસના આપણે સૌ કરી છીએ.

મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રમતગમત, યુવા સાંસ્કૃતિ પ્રવૃત્તિ અને સંગીત અકાદમી માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પણ ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત ખેલ મહાકુંભ થકી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને એવોર્ડ મેળવ્યા છે. તેમ ગુજરાતના કલા મહાકુંભ થકી કલાકારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.

આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગુજરાત સાંસ્કૃતિ વારસાની એાળખ આગવી છે. ગરબા, ભવાઇ, લોક મેળાઓ અને લોકનૃત્યએ ગુજરાતની ઓળખ છે. ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાની વિશ્વ ફલક પર ઓળખ ઉભી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારતના સાંસ્કૃતિક વરસાનો પર્યાય એવા વસંતોત્સવમાં ઉપસ્થિત સર્વે કલાકારોનું પણ તેમણે હદયના ઉમળકાથી સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા નૃત્યાંગના ઐશ્વર્યા વોરીયર અને તેમના ગૃપ દ્વારા ભરતનાટ્ટયમ શૈલીમાં સરસ્વતી વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ પટીયાલા ઘરાનાનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખ્યાતનામ ગાયિકા કૌશિકી ચક્રવર્તી દ્વારા શાસ્ત્રીય સંગીત અને કાર્યક્રમનાં અંતિમ ચરણમાં રાજકોટનાં સંગીત તજજ્ઞ પીયુબેન સરખેલ દ્વારા શાસ્ત્રીય સંગીત રજુ કરવામાં આવ્યું હતુ જેને વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત એકસો (૧૦૦) થી વધુ શાસ્ત્રીય સંગીતના સન્નમાનીય કલાકારોએ માણ્યું હતુ.

કાર્યક્રમમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ, કમિશનર ડી.ડી. કાપડિયા, ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા કુલદીપ આર્ય સહિત રાજયના ગણમાન્ય કલાકારોમાં કિર્તિદાનભાઇ ગઢવી, લલીતાબેન ઘોડાદરા તથા રાજકોટની હિરાણી પર્ફોમિંગ આર્ટસ કોલજના કલાકારશ્રીઓ, વડોદરાની ગોવિંદ વેણુ સંગીત વિદ્યાલય અને સંગમ મ્યુઝીક અકાદમી તથા પરફોર્મિંગ આર્ટ મ્યુઝીક કોલેજના કલાકારશ્રીઓ, અમદાવાદની સંગીત સંસ્થાના કલાકારઓ ઉપલ્થિત રહ્યા હતા. ગાંધીનગરનું અરવિંદ સંગીત કલા કેન્દ્ર અને સુર મધુર સંસ્થાના કલાકારો અને પાટણથી Department Of Music પી.કે.કોટાવાળા આર્ટસ કોલેજ, એમ.એ.પરીખ ફાઇન આર્ટસ કોલેજ અને ધ્વની શાસ્ત્રિય સંગીત સંસ્થાના કલાકારો તથા જુનાગઢની સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Previous Post

તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ જઇ રહેલા ભાવિ તબીબોનો સન્માન સમારંભ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન ઘ્વારા યોજવામાં આવ્યો

Next Post

જે.ડી.પટેલ પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા સે.૭માં ચૌધરી કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Next Post
જે.ડી.પટેલ પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા સે.૭માં ચૌધરી કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જે.ડી.પટેલ પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા સે.૭માં ચૌધરી કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગાંધીનગર દ્રારા “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું.

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગાંધીનગર દ્રારા “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું.

August 8, 2022
શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં ગુરુ સંવાદ લેક્ચર સીરીઝ ની શરૂઆત

શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં ગુરુ સંવાદ લેક્ચર સીરીઝ ની શરૂઆત

August 8, 2022
‘એક બિલ્વ શિવાર્પણમ્’ શ્રાવણના સોમવારે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી કન્યાદાન જેટલું પૂણ્ય મળે છે.!

‘એક બિલ્વ શિવાર્પણમ્’ શ્રાવણના સોમવારે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી કન્યાદાન જેટલું પૂણ્ય મળે છે.!

August 6, 2022
‘કેક બનાવો, આત્મનિર્ભર બનો’ અવનવી ડિઝાઇન અને ફ્લેવરની કેક શીખવવાનો વર્કશોપ યોજવામાં આવ્યો.!

‘કેક બનાવો, આત્મનિર્ભર બનો’ અવનવી ડિઝાઇન અને ફ્લેવરની કેક શીખવવાનો વર્કશોપ યોજવામાં આવ્યો.!

August 6, 2022
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.