fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Technology

ગાંધીનગરમાં નિસર્ગ કોમ્યુનિટી સાયંસ સેન્ટર દ્વારા વર્ચુઅલ ફન વિથ કેમેસ્ટ્રી કાર્યક્રમ યોજાયો

Team Mytro by Team Mytro
February 22, 2021
in Technology
0
ગાંધીનગરમાં નિસર્ગ કોમ્યુનિટી સાયંસ સેન્ટર દ્વારા વર્ચુઅલ ફન વિથ કેમેસ્ટ્રી કાર્યક્રમ યોજાયો
8
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર : ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને કરેલા રામન કિરણોની શોધને કારણે આ દિવસે તેમને સર્વોચ્ચ સન્માન નોબલ પારિતોષિક મળ્યું હતું ત્યારથી ૨૮ ફેબ્રુઆરી નો દિવસ – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ફેબ્રુઆરી માસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી વિવિધ થીમ આધારિત કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીનો વિષય “Future of STI: Impacts on Education, Skills and Work” રાખવામાં આવ્યો છે. આ વિષયને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવશે.

નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણીના ભાગ રૂપે અંબા સ્કુલ ફોર એકસલન્સ, અડાલજ ના વિદ્યાર્થીઓ માટે વર્ચુઅલ ફન વિથ કેમેસ્ટ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસર્ગ સાયંસ સેન્ટર ના કો-ઓર્ડીનેટર શ્રી હાર્દિક મકવાણા એ વિદ્યાર્થીઓને ડો.સી.વી. રામને કરેલી શોધોની માહિતી આપી હતી તેમજ તેમના જીવન ઝરમર વિષે ચર્ચા કરી હતી. ડો રામને શોધેલા રામના કિરણો ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે દુનિયાને કેટલા ઉપયોગી નીવડ્યા તેની પણ સમજ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસ ક્રમમાં આવતા રસાયણ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો દેખાડવામાં આવ્યા હતા તેમજ તેમાં થતી રસાયણિક પ્રક્રિયાઓની સમાજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ એ જાતે પણ કેટલાક પ્રયોગો કરીને રોમાંચ અનુભવ્યો હતો.ઉપરાંત તાંત્રિકો અને ભૂવાઓ દ્વરા અંધશ્રદ્ધા ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રયોગો જેવા કે ગ્લાસમાંથી જીન પેદા કરવો, ચોખા માંથી કંકુ કાઢવું, નારિયેળમાં દીવો કરવો,લીંબુ માંથી લોહી કાઢવું , નારિયેળ માંથી ચુંદડી અને મૂર્તિ કાઢવી જેવા અનેક પ્રયોગો વિદ્યાર્થીઓને દેખાડવામાં આવ્યા હતા અને પ્રયોગો પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરીશભાઈ રાવળ, વિજ્ઞાન શિક્ષક મોહિતભાઈ અગ્રાવત, ભાવિનભાઈ જોષી તેમજ ૬૬ જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજર રહ્યા હતા.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Previous Post

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે ગાંધીનગરના મહેમાન બનશે

Next Post

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં માતૃભાષા વંદના કાર્યક્રમ યોજાયો

Next Post
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં માતૃભાષા વંદના કાર્યક્રમ યોજાયો

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં માતૃભાષા વંદના કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

દેશના આઝાદ મચ્છરો તમારું લોહી ચૂસે એ પહેલાં ‘હીટ’ કરવામાં જ ભલાઈ છે.!

દેશના આઝાદ મચ્છરો તમારું લોહી ચૂસે એ પહેલાં ‘હીટ’ કરવામાં જ ભલાઈ છે.!

March 6, 2021
ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી થઇ.

ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી થઇ.

March 6, 2021
સે.8માં વડીલોને રસીકરણમાં ડેપ્યુટી મેયરનું પ્રોત્સાહન

સે.8માં વડીલોને રસીકરણમાં ડેપ્યુટી મેયરનું પ્રોત્સાહન

March 6, 2021
રવિવારે બલરામ ભવન ખાતે પુસ્તક પરબ યોજાશે

રવિવારે બલરામ ભવન ખાતે પુસ્તક પરબ યોજાશે

March 6, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.