fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

Team Mytro by Team Mytro
January 19, 2021
in News
0
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ
21
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

 ગાંધીનગર:

ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતના ૫૯૦ ગામોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ- ૬૮ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેવું સોમવારે દહેગામ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરાવતાં યુ.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેકટર  મુકેશસિંધે જણાવ્યું હતું.

ગુજરાત રાજય વીજ ક્ષેત્રે સરપ્લસ છે, તેનો આનંદ વ્યક્ત કરીને યુજીવીસીએલના એમ.ડી. મહેશસિંધે જણાવ્યું હતું કે, આગામી બે થી ત્રણ વર્ષના ટુંકા ગાળામાં રાજયના ૧૮,૨૫૦ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી આપવામાં આવશે.

રાજય વીજ ક્ષેત્રે સરપ્લસ હોવા છતાં સરકાર આપણને કેમ એક સાથે દિવસે વીજળી આપતી નથી, તેવો ધરતી પુત્રને પ્રશ્ન સતત મૂંઝવતો રહે છે, તેવું કહી  તે અંગેની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે દરેક ગામને જયોતિગ્રામ યોજના અંતર્ગત ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. તે રૂટને યથાવત રાખવાનો છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમ્યાન વીજળી આપવા માટે અલગથી વીજળી આપવા માટેનું જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, તેની વિસ્તૃત વાત કરી હતી. જેમ જેમ આ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા થશે, તે વિસ્તારના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજયના ૪ હજાર જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે દહેગામ ખાતે આરંભ થયેલ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ જેટલા ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગર તાલુકાના ૧૩, કલોલ તાલુકાના ૨૯ અને માણસા તાલુકાના ૧૦ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના આવરી લીધેલા કુલ- ૬૮ ગામોમાં ૨૦.૪૪ મેગાવોટ વીજળીની જરૂરિયાત રહેશે.

કોરાના કાળમાં યુ.જી.વી.સી.એલ.ના કર્મયોગીઓની કામની પ્રસંશા કરતા તેમણે ઉમેર્યું હતું કે, યુ.જી.વી.સી.એલ.ના ૫૫૦ જેટલા કર્મયોગીઓને કોરોના થયો હતો. તેમાંથી પાંચ જેટલા કર્મયોગીઓએ પોતાના પરિવારનો સાથ છોડયો છે, તેનું પણ દુ:ખ વ્યક્ત કરી સર્વે કર્મચારીઓની તેમની ફરજ ઉમદા રીતે બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કિસાન મોરચાના મહામંત્રી હિતેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણાં માનનીય વડાપ્રધાનએ ૨૪ ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કરીને ૩ જિલ્લાઓમાં  ખેડૂતોને દિવસે  થ્રી ફેઝ વીજળીની  યોજના આપવાની  શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવીને ખેડૂતોને એક અમૂલ્ય ભેટ આપી છે. ખેડૂતોને  સબસિડીની પણ રાહત મળી છે. આ યોજના હેઠળ ૨૦૨૧ના અંત સુધી રાજયભરના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. ખેડૂતોને  પાણી મળી રહે તે માટે વહેતા પાણીને રોકવા માટે ચેકડેમો,બોરીબંધ વગરે જેવા કામ કર્યા છે, ખેતરોમાં પાણી જાય તેની વ્યવસ્થા સરકારે કરી આપી છે. મુખ્યમંત્રીએ સાતપગલા ખેડૂત કલ્યાણ,કુટિરગ્રામ જેવી યોજનાઓની પણ શરૂઆત ખેડૂતો માટે કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,સમયમાં ખેડૂતોને મોટર બળી જવાના અને લંગડિયા દ્વારા લંગળી વીજળી મળતી હતી પરંતુ આ યોજનાનો પ્રારંભ થતા ખેડૂતોની ગુણવત્તાસભર વીજળી મળતી થશે. કૃષિ મહોત્સવનું આયોજન કરીને ખેતરે ખેતરે કૃષિ વૈજ્ઞાનિકો ફરીને કૃષિ પેદાશ વધારવાનો પ્રયોગ આદર્યો, તેમણે જણાવ્યું કે ખેડૂતો વ્યાજના ચક્કરમાં ખપી ન જાય તે માટે કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી જેના થકી ખેડૂતો બિયારણ અને દવાઓ સરળતાથી મળી શકે, તેમણે સરકારના કૃષિ કાયદાને આવકારતા જણાવ્યું હતું કે, ખેડૂતોના મોંઘા મોલનો યોગ્ય ભાવ મળી રહે તે માટે કંપની સાથે સીધા ભાવ તાલ કરી શકે તેને લઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે.

આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુ.જી.વી.સી.એલ.ના એમ.ડી. મહેશસિંધના હસ્તે ગાંધીનગર – દહેગામ ગ્રામ્ય પેટા વિભાગની અલગ- અલગ કચેરીઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુ.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેર પી.બી. પંડયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ મુખ્ય ઇજનેર  વી.એમ.શ્રોફે કાર્યક્રમના અંતે આભારવિધી કરી હતી.

આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય  બલરાજસિંહ ચૌહાણ, દહેગામ એ.પી.એમ.સી.ના ચેરમેન  સુમેરૂભાઇ અમીન, ગાંધીનગર પ્રાંત અધિકારી  જે.એમ.ભોરણિયા, મામલતદાર સહિત આમંત્રિત મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

——————————————————–

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | YouTube

 

 

Previous Post

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

Next Post

ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સે.૧૧માં ર‍ામકથા મેદાન ખાતે કરાશે

Next Post
ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સે.૧૧માં ર‍ામકથા મેદાન ખાતે કરાશે

ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સે.૧૧માં ર‍ામકથા મેદાન ખાતે કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કમાલ બબીતા દયા વચ્ચે અટવાતો જેઠાલાલ.!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કમાલ બબીતા દયા વચ્ચે અટવાતો જેઠાલાલ.!

February 26, 2021
ગાંધીનગરની રોટરી ક્લબ ઓફ કેપીટલે રોટરી ઇન્ટરનેશનલનો ૧૧૬મો સ્થાપના દિન ઉજવ્યો

ગાંધીનગરની રોટરી ક્લબ ઓફ કેપીટલે રોટરી ઇન્ટરનેશનલનો ૧૧૬મો સ્થાપના દિન ઉજવ્યો

February 25, 2021
પિતાને કિડની દાન આપનારા ગાંધીનગર કોંગ્રેસના યુવા અગ્રણી ખુમાનસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન

પિતાને કિડની દાન આપનારા ગાંધીનગર કોંગ્રેસના યુવા અગ્રણી ખુમાનસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન

February 25, 2021
ગાંધીનગરના સે.૨૨માં ફરી વૃક્ષછેદન સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી

ગાંધીનગરના સે.૨૨માં ફરી વૃક્ષછેદન સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી

February 25, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.