fbpx
  • Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

Team Mytro by Team Mytro
January 19, 2021
in News, Uncategorized
0
ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર  હોલ ખાતે  નારી સંમેલન યોજાયું.
30
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર:

ગુજરાત રાજય મહિલા આયોગ, ગાંધીનગર અને જિલ્લા પંચાયત, ગાંધીનગરના સંયુક્રત ઉપક્રમે આજરોજ નારી સંમેલનનું આયોજન આયોગના અધ્યક્ષા  લીલાબેન અંકોલિયાની ઉપસ્થિતિમાં સેકટર- ૧૨, ર્ડા. આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે યોજાયું હતું.

ગુજરાતમાં મહિલાઓનો આર્થિક વિકાસ ખૂબ જ જરૂરી છે, તેવું કહી મહિલા આયોગના અધ્યક્ષા  લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે,  મહિલાઓનો આર્થિક વિકાસ ન થતાં તેને ખૂબ સમસ્યાઓ વધી છે. તેમજ કયારેક ધરેલું હિંસા વધતી હોય છે. જો મહિલાઓ પગભર હોય તો તે પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. અને પોતાની અને બાળકોની જરૂરિયાતને પણ સંતોષી શકે છે.

મહિલાઓને પગભર બનાવવા અને અન્ય રીતે મદદરૂપ બની શકે તે માટે રાજય સરકાર દ્વારા મહિલાલક્ષી વિવિધ ૧૩૮ યોજનાઓ અમલી બનાવી છે,તેવું કહી આયોગના અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, આજે રાજયમાં ૨ લાખ જેટલા સખી મંડળો કાર્યક્રર છે. જેના થકી ૩૫ લાખ જેટલી મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી રહી છે. તેમજ મહિલાઓને પગભર બનાવવા માટે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સાધન-સહાય આપવામાં આવે છે.

‘મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ થવો ખૂબ જ જરૂરી છે, તેવું કહી અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ મહિલા – બાળકોના વિકાસ માટે વર્ષ- ૨૦૦૧માં મહિલા – બાળ કલ્યાણ વિભાગની અલગથી રચના કરી હતી. ત્યાં સુધી મહિલાઓના વિકાસ માટે કોઇ વિભાગ કાર્યરત ન હતો. તે પછી વર્ષ- ૨૦૦૫ માં મહિલાઓની સમસ્યાઓને વાચા આપવા અને તેમની સમસ્યાઓના ઉકેલ અને કાયદાનું જ્ઞાન આપવા માટે મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.

મહિલા આયોગની કામગીરીની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, આયોગમાં મહિલાઓ સ્ત્રીધન, દહેજ, જાતિય સતામણી, ધરેલું હિંસા, બાળ કસ્ટડી મેળવવા અને અન્ય અન્યાય સામેની ફરિયાદ મુક્ત અને સરળતાથી કરી શકે છે. જેનો ઉકેલ લાવવા માટે પણ આયોગ સતત કાર્યશીલ છે. તેમજ લોકડાઉન વખતે મહિલાઓને જાગૃતિ આપવા માટે કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે લોક ડાઉનમાં પણ મહિલાઓને આજીવિકા મળી રહે તે માટે માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના થકી અનેક મહિલાઓ રોજગાર મેળવી રહી હતી.

આ પ્રસંગે મહિલાઓને વિવિધ સરકારની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સંમેલનમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી  શાલિની દુહાન, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર  ર્ડા. રતનકંવર ગઢવીચારણ સહિત આમંત્રિત મહાનુભાવ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

——————————————————–

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

 

Previous Post

ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

Next Post

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

Next Post
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કમાલ બબીતા દયા વચ્ચે અટવાતો જેઠાલાલ.!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કમાલ બબીતા દયા વચ્ચે અટવાતો જેઠાલાલ.!

February 26, 2021
ગાંધીનગરની રોટરી ક્લબ ઓફ કેપીટલે રોટરી ઇન્ટરનેશનલનો ૧૧૬મો સ્થાપના દિન ઉજવ્યો

ગાંધીનગરની રોટરી ક્લબ ઓફ કેપીટલે રોટરી ઇન્ટરનેશનલનો ૧૧૬મો સ્થાપના દિન ઉજવ્યો

February 25, 2021
પિતાને કિડની દાન આપનારા ગાંધીનગર કોંગ્રેસના યુવા અગ્રણી ખુમાનસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન

પિતાને કિડની દાન આપનારા ગાંધીનગર કોંગ્રેસના યુવા અગ્રણી ખુમાનસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં કરૂણ નિધન

February 25, 2021
ગાંધીનગરના સે.૨૨માં ફરી વૃક્ષછેદન સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી

ગાંધીનગરના સે.૨૨માં ફરી વૃક્ષછેદન સામે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી

February 25, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.