• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home News

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ…

Team Mytro by Team Mytro
August 17, 2020
in News
0
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ…
52
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

હાર્દિક મકવાણા(હાર્દ): સરકારશ્રી ની નવી શિક્ષણ નીતિ મુજબ હવેથી દરેક બાળકને પાંચમા ધોરણ સુધી ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. આનંદ તો વાતનો છે કે સમય રહેતા આ નિર્ણય લેવાઈ ગયો. કેમકે વચગાળાના વર્ષોમાં જે રીતે ઈંગ્લીશ મીડીયમની શાળાઓએ લગભગ બધી જ સ્થાનિક ભાષાઓને જે નુકસાન પહોચાડ્યું છે એ જોતા બધી જ સ્થાનિક ભાષાઓના ભવિષ્ય પર ખતરો હતો. અહીં ઈંગ્લીશ મીડીયમ ના શિક્ષણ કે ઈંગ્લીશ ભાષા સાથે કોઈ જ વાંધો નથી. પરંતુ ઈંગ્લીશના અતિશય પ્રયોગ અને જીદને કારણે આ સ્કૂલો બાળકોને રીતસર ગુજરાતી ભાષા બોલવા માટે હતોત્સાહિત કરે એ બાબતે મારો વિરોધ છે. દુઃખ સાથે ક્હેવું પડે કે અમુક સ્કૂલો ગુજરાતમાં જ ગુજરાતી બોલવા પર દંડ કરતી હતી. ઈંગ્લીશ સામે ગુજરાતીને નીચી ગણવાની આ નીતિ સામે વિરોધ છે. એવી સ્કૂલો આજે ય છે જે બાળકોને ઈંગ્લીશ બોલવા દબાણ કરે, ન આવડે તો હિન્દી બોલાવે પણ ગુજરાતી તો નહીં જ. ગુજરાતીનો આવો વિરોધ શું કામ? કેમકે એ લોકો ગુજરાતી અને ગુજરાતી બોલતા બાળકોને નીચા ગણે છે. અને આવનારી પેઢીને આવી જ વાહિયાત વાતો ભણાવે છે.

પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં ન આપવાથી બાળકોમાં અમુક પાયાની બાબતો .કાચી રહે છે. કારણકે આ ઉંમરે બાળકો હજી પોતાની ભાષા માં બોલતા સમજતા થયા હોય ત્યાં જ એને વધુ બે ભાષાઓમાં બોલવા મજબુર કરવામાં આવે છે.

આપણી સિસ્ટમ એવી હતી કે બાળકો કુદરતના પાયાના સિદ્ધાંતોની સમજ દાદા દાદી કે નાના નાની ની બાળવાર્તાઓમાંથી મળી જતી. અને એ વાર્તાઓ અને કવિતાઓથી બાળકોની મૌલિક શક્તિનો વિકાસ થતો. બાળકો પોતાની જાતે સમજી અને વિઝ્યુલાઈઝ કરી શકતા. એ રીતે એમનામાં મૌલિકતા અને રચનાત્મકતાનો વિકાસ થતો. પછી અમુક વર્ષો સુધી એમને માતૃભાષામાં ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્રનું જ્ઞાન આપતા. જયારે આ બધા જ્ઞાનથી બાળકો સભર થાય એટલે ઈંગ્લીશ કે ફ્રેંચ કે જાપાનીઝ જેવી ભાષાઓ જરૂર પ્રમાણે શીખતાં.

અમુક ઉમરથી સમાંતર ઈંગ્લીશ ભાષા ભણાવવામાં આવે એ છે, પણ ગુજરાતીના બદલે ઈંગ્લીશ ભાષા ના શીખવી શકાય. એક અવલોકન એવું પણ છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હોય એમની મૂળભૂત વિષયો પર સૈદ્ધાંતિક પકડ સારી એવી હોય છે. આવા વિદ્યાર્થીઓ જરૂર મુજબ અન્ય ભાષાઓ શીખીને એમાં સારું એવું ખેડાણ કરી જ લે છે. એમની સરખામણીમાં પરાણે ઈંગ્લીશ મીડીયમમાં ભણેલા બાળકો બેઝીક થીયરીમાં કાચા પડે છે. ૧૦ ગુણ્યા ૪ એટલે ૪૦ પણ કેલ્ક્યુલેટરમા કરવાની ટેવ પાડી દીધી છે આપણે.

એનું સીધું કારણ એ છે કે જે પાયા ના સિદ્ધાંતો તમે એને સમજાવવા માગો છો એ સમજતા પહેલા એને ઈંગ્લીશમાં ટ્રાન્સલેટ કરવા પડે છે. અહી બાળક પર બમણો માર પડે છે. એક તો મૂળભૂત સિદ્ધાંતો સમજવા ને બીજું એનું ઈંગ્લીશ કરવું. છેવટે બે ય બગડે છે. આવા બાળકો સમાજમા જલ્દી ભળી શકતા નથી અને એકલતા અને ચીડીયાપણાના શિકાર થાય છે.

બીજું અને ખુબ મોટું નુકસાન એ થાય છે કે આવા બાળકોમાં અભિવ્યક્તિની ઉણપ રહી જાય છે. એ જે કહેવા માગે છે એ આપણે ગુજરાતીમા સાંભળવા તૈયાર નથી હોતા. એટલે ફરજીયાત ઈંગ્લીશમા બોલવા પર મજબુર બાળકો બધું યોગ્ય રીતે સમજાવી શકતા નથી. બધાને મોટા થઈને ગુજરાત બહાર જ વસી નથી જવાનું. જે સમાજમા રહેવાનું છે ત્યાના લોકોને સમજી શકે એવા તો બનાવો બાળકોને.

અને મને તો એ વાત નથી સમજાતી કે સ્થાનિક ભાષા શીખ્યા વગર કોઈ પણ ક્ષેત્ર ના નિષ્ણાતો સર્વાઇવ કેમ કરી શકશે? શું ડોક્ટરો ને માત્ર ઈંગ્લીશમાં જ ડીલ કરવાનું આવશે? શું એને સામાન્ય કે ગામડાઓમા રહેતા દર્દીની સારવાર કરવાની નહી આવે? આવા વખતે એમને સમજી શકે એમના દર્દો ને સમજી શકે એટલા તો સક્ષમ બનાવો ભાવી ડોક્ટરો ને!

દુઃખ એ વાતનું પણ છે કે સામાન્ય વાતચીતની ગુજરાતી ભાષા ન સમજી શકતા બાળકો મેઘાણી, કલાપી, કાગ કે દલપતરામ નું સાહિત્ય કેમ સમજી શકશે? એમને આ બધાથી વંચિત જ રાખવાના છે, કે નવું સાહિત્ય ગુજરાતીમાં લખવાનું જ નથી. ગુજરાતી સાહિત્ય આટલું સમૃદ્ધ છે એને સમજી શકે એવી પ્રજા જ નહી રહે તો શું અર્થ આનો? ને આમ તો ગુજરાતી સાહિત્યની ધરોહર કેમ આગળ વધશે. આપણા સાહિત્યની જેટલી કદર આપણે નથી કરતા એટલી વિદેશમાં વસેલા ગુજરાતીઓ કરે છે. દોસ્તો, જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એમને ગુલામ બનાવવી સૌથી સહેલી હોય છે. ને હવે સૌથી મહત્વનો મુદ્દો.

આ બાબતે જવાબદાર કોણ? વધારે ફી માટે ઇન્ગ્લીશને પ્રાધાન્ય આપતી સ્કૂલો?
ના આ બાબતે જવાબદાર છે આ ફી આપતા વાલીઓ. પોતાના બાળકને ગુજરાતી નથી આવડતું એ બાબતે ગર્વ લેનારા વાલીઓ. દોસ્તો બાળકોને “ઇટ કરી લે” કે “સ્લીપ કરી લે” જેવી હાસ્યાસ્પદ ભાષા શીખવતા પહેલા ઇટ એટલે ખાવું ને સ્લીપ એટલે સુવું એટલું તો શીખવી દો. તમારા બાળકને ઈંગ્લીશ આવડે એનો ગર્વ અમને ય છે પણ ગુજરાતી ના આવડવાનો ગર્વ ના હોવો જોઈએ. એ શરમની બાબત છે.

છેવટે એટલું જ કહીશ કે ગુજરાતીને પ્રેમ કરો ને નવી પેઢીને એની ભવ્યતા સમજાવો. મારી ગુજરાતી મારા માટે સૌથી શ્રેષ્ઠ છે ને રહેશે… એને કોઈ જરૂર નથી ઈંગ્લીશ સર્ટીફીકેટની.

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download MyGandhinagar App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Previous Post

કોરોના સામે કાળજી લેવાનાં સંકલ્પ સાથે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન યોજાયું.!

Next Post

સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને યોજાયેલા “હેપ્પી રક્તદાન શિબિર” માં ૩૭ યુનિટ્સ રક્ત એકત્ર કરાયું

Next Post
સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને યોજાયેલા  “હેપ્પી રક્તદાન શિબિર” માં ૩૭ યુનિટ્સ રક્ત એકત્ર કરાયું

સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને યોજાયેલા “હેપ્પી રક્તદાન શિબિર” માં ૩૭ યુનિટ્સ રક્ત એકત્ર કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ ગ્રાહકોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

January 19, 2021
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો દસમો દીક્ષાંત સમારોહ સંપન્ન.

January 19, 2021
ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર  હોલ ખાતે  નારી સંમેલન યોજાયું.

ગાંધીનગરના સે.૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

January 19, 2021
ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતાં જીવંત શહેર બન્યું : મેટ્રો ફેઝ-૨ના ઇ-શિલાન્યાસ પ્રસંગે નરેન્દ્ર મોદીનું સંબોધન.

January 19, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.