ગાંધીનગર: ગાંધીનગરમાં ભાવિન પટેલના માર્ગદર્શનમાં રાસ-ગરબા અને લોકનૃત્યની સક્રિય સંસ્થા પનઘટ કલાકેન્દ્ર દ્વારા રાસ-ગરબા અને તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત અનેક સમાજ ઉપયોગી સેવાઓ અને કાર્યો થતા રહ્યા છે. પ્રતિવર્ષ ગાંધીનગરના જન્મ દિવસે એક અનોખુ કરવાનો શ્રેય ‘પનઘટ કલા કેન્દ્ર’ને જાય છે. ગત વર્ષે આ જ દિવસે.
નગરના ચાર યુવાન સંગીતકારોને નગર રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા. તેની અગાઉના વર્ષોમાં શાળામાં પુસ્તક વિતરણ, વૃક્ષારોપણ, ગરીબ બાળકોને કપડા વિતરણ વગેરે અનેક વિવિધ પ્રવૃત્તિઓ ‘પનઘટ’ દ્વારા થતી આવી છે.
ચાલુ વર્ષે કોરાનાની મહામારીમાં પનઘટ કલા કેન્દ્ર દ્વારા ભાવિન પટેલના માર્ગદર્શનમાં દસ હજાર થી વધુ માસ્ક અને એક હજાર સેનિટાઈઝર બોટલનું જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના જન્મ દિવસે સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, કોર્પોરેટર પ્રણવભાઈ પટેલ, ધવલભાઈ દવે, બરખાબેન જહાં વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી, પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આ સેવાકાર્યમાં ‘પનઘટ કલા કેન્દ્ર’ના સભ્ય સર્વશ્રી જયદિપસિંહ સોલંકી, ચકાભાઈ દેસાઈ, અંકિતભાઈ પટેલ, મેહુલ ભોજક, જીનલ દખણી, દિપક વ્યાસ, મિતિ ભટ્ટ, ફોરમ તન્ના, દિશા ત્રિવેદી, પ્રેરણા તિવારી, ભાવિકાબા રહેવર, નિધિ હુદાણી, કૃપા પટેલ, નૈસર્ગી જોષી, ધરતી કંદોઈ, કેતા દેસાઈનો સહકાર મળ્યો હતો.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube