• Advertise
  • Privacy Policy
  • Contact
mytro.in
Advertisement
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • classified
  • Submit Article
No Result
View All Result
Mytro Gandhinagar
No Result
View All Result
Home Food

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

Team Mytro by Team Mytro
May 11, 2019
in Food, News
0
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ
2.8k
VIEWS
Share on WhatsappShare on FacebookShare on Twitter

ગાંધીનગર: પાટનગરમાં તમને ફરસાણ ખાવાની ઇચ્છા થાય અને તે પણ શુદ્ધ અને પરંપરાગત સ્ટાઇલમાં તો તેનું સરનામુ છે સેક્ટર-6માં અપના બજાર પાસે આવેલ પતરાળુ ખમણ હાઉસ. અહીં દરેક આઇટમ વખતે નવો વઘાર કરવામાં આવે છે અને નામ પ્રમાણે પરંપરાગત પાનનાં પતરાળામાં ફરસાણ પિરસાય છે અને પાર્સલ પણ થાય છે. બે વર્ષ અગાઉ એક લારીથી શરુઆત કરી આજે પતરાળુને ગાંધીનગરમાં બ્રાન્ડ બનાવનાર નિરવ રાજેન્દ્રકુમાર શર્મા એ mygandhinagar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી બ્રાંડના નામ પ્રમાણે ફરસાણ પરંપરાગત પાનનાં પતરાળામાં આપવામાં આવે છે. ગ્રાહકો જો અહીંથી પાર્સલ કરાવે તો પણ ફરસાણ પતરાળામાં પેક કરવામાં આવે છે. જેથી જ્યારે તેઓ ઘરે જઇને ફરસાણ ખોલે ત્યારે તેમાં એક ખાસ ખુશબુ ઉમેરાઇ હોય છે. જે આપણને એક જમાનામાં પતરાળામાં જમતા સમયે મળતી હતી. નિરવ રાજેન્દ્રકુમાર શર્માએ કહ્યું હતું કે ફરસાણની ક્વોલિટી પર અમે સૌથી વધુ ધ્યાન આપીએ છીએ. જેથી દરેક આઇટમ બનાવતી વખતે નવો વઘાર કરીએ છીએ. ગ્રાહક માંગે ત્યારે ગરમા ગરમ ફરસાણ જ અમે આપીએ છીએ. પછી ભલે ને 100 ગ્રામનો ઓર્ડર હોય કે 10 કિલોનો ઓર્ડર હોય. ફરસાણ બનાવવામાં શુદ્ધ અને હાઇજીન તેલનો ઉપયોગ કરીએ છીએ. ફરસાણ પતરાળામાં અને ચટણી વગેરે પડિયામાં પિરસીએ છીએ. પતરાળુ ખમણ હાઉસના માલિક નિરવ રાજેન્દ્રકુમાર શર્મા એ જણાવ્યું હતું કે, ફરસાણ બનાવવા માટે સારી ક્વોલિટીના ચણાની દાળનો ઉપયોગ કરીએ છીએ.

ફરસાણની સાથે મરચા ન હોય તો તેની મજા અધુરી રહી જાય. તેથી અમારે ત્યા મરચાનું કટિંગ અલગ પ્રકારથી કરીએ છીએ. જેમાં મરચાની અંદરના બીજ કાઢી નાખીએ છીએ જેથી ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને તેમને મરચા ખાવાની પણ મજા આવે. એક વખત ફરસાણ બનાવ્યા બાદ તે તેલનો ફરી ઉપયોગ અમે નથી કરતા. ગ્રાહકોને પીવાનું પાણી પણ મિનરલ આપીએ છીએ. અમારે ત્યાં સ્વચ્છતાનો સૌથી મોટો આગ્રહ રખાય છે તેથી સાફ-સફાઇ પર ખૂબ જ ધ્યાન આપીએ છીએ.

નિરવ રાજેન્દ્રકુમાર શર્માએ ઉમેર્યું હતું કે અમારે ત્યાં સ્પે.વાટીદાળના ખમણ, સેવખમણી, ખાંડવી, પાત્રા, સેન્ડવીચ ઢોકળા, મરીવાળા ખમણ, ટમટમ ખમણ, સ્પે. નવરંગ ખમણ (સ્વીટ) સહિતના ફરસાણ મળે છે. અમારી દુકાન સવારે 8:30 વાગ્યાથી રાત્રીનાં 8:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. તહેવારના દિવસોમાં રાત્રે 10 કલાક સુધી ખુલ્લી રહે છે. ગત વર્ષે કલ્ચરલ ફોરમના ગરબા મહોત્સવમાં રાત્રે અઢી વાગ્યા સુધી પણ લાઇવ ફરસાણ ગાંધીનગરની જનતાને પીરસ્યું હતું અને લોકોએ તેને વખાણ્યું હતું. તમે પણ સેક્ટર-6માં અપના બજાર પાસે આવેલ પતરાળુ ખમણ હાઉસના ફરસાણનો લ્હાવો લેવાનું ન ચુકતા અને પતરાળુ ખમણ હાઉસની અંદર લાગેલા સૂત્રો “માન…મર્યાદા…મોભો…” અને “હુકુમ કરો” આ પણ ગ્રાહકોમાટે આકર્ષણ નું કેન્દ્ર બનું છે.

‘પતરાળુ’ ને ફોલો કરવા માટે:
https://www.facebook.com/PattraduKhaman/
https://www.instagram.com/pattradu/

Tags: #ThePattraduKhamanHouse #Khaman #Food #Gandhinagar #Gujarat #GreenCity #GreenGandhinagar #CapitalCity #News #Updates #MyGandhinagar #StreetFood #FaraliFood #GandhinagarFood
Previous Post

ગાંધીનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા 23મી જૂને જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે

Next Post

પેથાપુરના સ્વામિનારાયણ મંદિર ૧૫ માં પાટોત્સવની ઉજવણી સાથે રોગ નિદાન કેમ્પનું આયોજન

Next Post
પેથાપુરના સ્વામિનારાયણ મંદિર ૧૫ માં પાટોત્સવની ઉજવણી સાથે રોગ નિદાન કેમ્પનું આયોજન

પેથાપુરના સ્વામિનારાયણ મંદિર ૧૫ માં પાટોત્સવની ઉજવણી સાથે રોગ નિદાન કેમ્પનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

Trending

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

શું તમે સ્વાદના શોખીન છો? તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.

June 12, 2019
વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

વડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”

April 9, 2020
ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

ગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.

November 27, 2019
સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

સામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ

May 11, 2019
ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

ગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું

May 6, 2019

Recent News

સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ- રાષ્ટ્રીય યુવા દિવસે ગાંધીનગરમાં યોજાઇ યુવા દિવસ પરિષદ

સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ- રાષ્ટ્રીય યુવા દિવસે ગાંધીનગરમાં યોજાઇ યુવા દિવસ પરિષદ

January 13, 2021
સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા “એડવાન્સમેન્ટ ઈન ડિઝાઇન સોફ્ટવેર્સ ઓફ મિકેનિકલ એન્જિનિરીંગ” વિષય પર ૫ દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો.

સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા “એડવાન્સમેન્ટ ઈન ડિઝાઇન સોફ્ટવેર્સ ઓફ મિકેનિકલ એન્જિનિરીંગ” વિષય પર ૫ દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો.

January 13, 2021
ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાં “Happy Youth Day- 2021” ની વર્ચ્યુઅલ ઉજવણી કરાઇ

ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાં “Happy Youth Day- 2021” ની વર્ચ્યુઅલ ઉજવણી કરાઇ

January 13, 2021
શિક્ષણ વિભાગના પ્રશ્નો અંગે સરકારની પરામર્શ સમિતિની બેઠક યોજાઇ

શિક્ષણ વિભાગના પ્રશ્નો અંગે સરકારની પરામર્શ સમિતિની બેઠક યોજાઇ

January 12, 2021
Mytro Gandhinagar

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

  • Advertise
  • Privacy Policy
  • Contact

Copyright © 2020. Mytro Gandhinagar.

No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Quotes
  • Jokes
  • Food
  • Health
  • Fashion
  • Sports
  • Technology
  • Jobs
  • Classified
  • Submit Article

Copyright © 2020. Mytro Gandhinagar.